આ પૃષ્ઠ પર તમને જીવનના સૌથી મહત્વના પ્રશ્નોના જવાબો મળશે. જેવા કે, "પૃથ્વી પર આવવાનો મારો હેતુ શું છે?" "શા માટે મને બીજા લોકોમાં શાંતિ જોવા મળતી નથી ?" અથવા, " જે છે તે બધું શું આ જ છે?" આ પૃષ્ઠ તમને આ પ્રશ્નોના જવાબો તેમજ બીજી કેટલીક બાબતો પણ પ્રગટ કરશે. તમને કદાચ એવું ભાન ન હોય, પરંતુ તમે તમારા સર્જનહારથી અલગ થઈ ગયા છો. ખરેખર તો તમે તમારા સ્વભાવથને કારણે અલગ થયા છો. તમારા માટેનો અમારો સંદેશ તે આશાનો સંદેશ છે કારણ કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તેમની ઇચ્છા છે કે તમારું તેમની સાથે સમાધાન થાય, અને તે તમને તેમની તરફ પાછા ફરવાનો માર્ગ દર્શાવે છે. જે ઉકેલ ઈશ્વર આપે છે તે તમને ખાતરી કરાવશે કે તમારું અલગ થવું તે અનંતકાળને માટે નહીં હોય.
શું તમે ઈચ્છો છો:
એ તો "વિશ્વ" માટેનો ઈશ્વરનો પ્રેમ છે. મારા અને તમારા _namePerson_ જેવા લોકો, જેમણે ઈશ્વરને સમાધાન કરવા માટે પ્રેર્યા, કે જેથી તમે તેમની સાથે સમાધાન પામવા દ્વારા મળતા પ્રેમ અને શાંતિનો અનુભવ કરી શકો. ઈશ્વર ઈચ્છે છે કે બીજાઓ સાથેના તમારા સંબંધમાં અને તેમની સાથેના સંબંધમાં જીવનના કપરા સમયોમાં પણ તમારું જીવન શાંતિ અને આનંદથી ભરાઈ જાય.
કેમ કે ઈશ્વરે _namePerson_ જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે _namePerson_ જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.
બાઇબલમાંથી વચન: યોહાન 3:16
તમારા માટે ઈશ્વરની એવી ઈચ્છા છે કે તમે હમણાં જ ભરપૂર જીવન પ્રાપ્ત કરો. તો પછી શા માટે બધા લોકો આ ભરપૂર જીવનનો અનુભવ કરતા નથી? યોહાન 10:10
પાપે તમને ઈશ્વરથી અલગ કર્યા છે, જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે! અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે! 2પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ. યશાયા 59:1-2. તમારી અને ઈશ્વરની વચ્ચે _namePerson_ આ બાબત ભિન્નતા ઊભી કરી છે, આદમના પાપ દ્વારા તમારામાં પ્રવેશેલા પાપ સાથે તમે જન્મ્યા છે અને તમે પાપ કરવાનું પસંદ કર્યું છે. તેથી તમારી અને ઈશ્વરની વચ્ચે ભિન્નતા છે.
ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે લોકોને ઉત્પન્ન કર્યા, કે જેથી આપણે આપણા ઈશ્વર સાથે સંગતનો આનંદ માણીએ અને તેમને મહિમા આપીએ કે, જેથી આપણે ઈશ્વરના મિત્ર બની શકીએ. ઈશ્વરે આપણા માટે સુંદર વિશ્વનું સર્જન કર્યું કે જેથી આપણે આનંદ કરીએ. તેમણે આપણને અદ્ભુત અને ભરપૂર જીવન જીવવાની તક આપી.
_namePerson_, ઈશ્વરે આપણને રોબોટ બનાવ્યા નથી પરંતુ તેમની પ્રતિમા પ્રમાણે જીવંત માણસ બનાવ્યાં, જેમની પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ હોય, જેઓ તેમને પ્રેમ કરવાનું અને આધીન થવાનું પસંદ કરે, તેમનામાં અને બીજી સર્વ બાબતોમાં આનંદ માણી શકે. સ્વતંત્ર ઈચ્છા શક્તિની સાથે એવી શક્યતા આવી કે આપણે અનઆજ્ઞાંકિત બનીએ અને ઈશ્વર પર પ્રેમ ન કરવાનું પસંદ કરીએ. છેવટે, ખરી મિત્રતા, અને ખરા પ્રેમને પામવા પસંદગી કરવાની જરૂર હતી. મિત્રતા અને પ્રેમના પાયા માટે રોબોટની જેમ દબાણ ન કરી શકાય, પરંતુ આપણે પસંદગી કરવી પડે.
તેમ છતાં, પ્રથમ ઉત્પન્ન કરાયેલા માણસે તેનો પોતાનો માર્ગ પસંદ કર્યો, અને તેની અનઆજ્ઞાંકિતતાને પાપ કહેવામાં આવ્યું. પાપનો અર્થ - નિશાન ચૂકી જવું, કેમ કે ઈશ્વરે આપણા માટે વધુ સારી બાબતો રાખી હતી. પાપનાં પરિણામો (અસરો) કેવળ પ્રથમ માણસ આદમ અને પ્રથમ સ્ત્રી હવાને માટે જ નહોતા, પણ સર્વ લોકોને માટે હતા, કેમ કે પાપનો સ્વભાવ સર્વ માનવજાતમાં પ્રસર્યો.
બાઇબલ કહે છે:
"તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો." રોમનોને પત્ર 5:12
નિશાન ચૂકી જવાથી, આપણે ઈશ્વરથી પણ અલગ થઈ ગયા અને સંબંધ તૂટી ગયો. એનું પરિણામ એ આવ્યું કે એવી અલગતા આવી કે આપણે પ્રયત્ન કરીએ તો પણ તેને ફરી જોડી શકાય નહિ :
ધાર્મિક કૃત્યો અને તહેવારો
ઉચ્ચ નૈતિક ધોરણો
મનન
માનવતાવાદી પ્રયત્નો
માનવપ્રેમ
અને બીજા ઘણા માર્ગો છે, પણ આ અંતરને જોડી શકે એવો કોઈ માર્ગ નથી કારણ કે, ઈશ્વર પવિત્ર છે, અને આપણે એવા નથી, આપણે જે કંઈપણ કરીએ તો પણ આપણા પાપોને દૂર કરી શકતા નથી અને નિશાન સુધી પહોંચી શકતા નથી.
બાઇબલ કહે છે: “કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે.” રોમનોને પત્ર 3:23
"કેમ કે પાપનો મુસારો મરણ છે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે." રોમનોનો પત્ર 6: 23
ઈશ્વરે જોયું કે, જે પાપે આપણને તેમનાથી અલગ કર્યા છે, તેનું સમાધાન તેમણે જ આપવું પડશે. એ સમાધાનનો અર્થ એ હતો કે ઈશ્વર, તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત મારફતે, માણસ તરીકે આપણી પાસે આવે. ઈસુએ એ કાર્ય કર્યું, જે બીજું કોઈ ન કરી શક્યું હોત. તેઓ ઈશ્વરની ઈચ્છા મુજબનું પાપરહિત જીવન જીવ્યા અને પાપને કારણે જે શિક્ષા આપણે ભોગવવાની હતી તે આપણા બદલે તેમણે પોતાના પર લીધી.
એક બીજા સાથેના સંબંધમાં, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો:
પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ. પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા. અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા! ફિલિપીઓને પત્ર 2:5-8
આપણા પાપોને લીધે મરણ પામવા દ્વારા, ઈશ્વર અને આપણી વચ્ચે જે અંતર હતું તે ઈસુએ પૂરી દીધું.
પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. રોમનોને પત્ર 5: 8
ખરેખર, ઈસુએ તે આ પ્રમાણે કહ્યું: ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.” યોહાન 14:6
છેવટે ઈશ્વર પોતે સમાધાન સાથે આપણી પાસે આવ્યા.ઈશ્વર માણસ બન્યા અને એ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત દ્વારા, ઈશ્વર અને માણસ વચ્ચે જે ખાઈ હતી તેને પૂરી દેવામાં આવી છે. એટલા માટે જ તેઓ આ પૃથ્વી પર આવ્યા; વધસ્થંભ પર તેમણે ક્રૂર મરણ ભોગવ્યું અને આપણે બદલે આપણા પાપની સજા તેમણે ભોગવી. એમ કરીને ઈસુએ આપણી અને ઈશ્વર વચ્ચેની ખાઈ પૂરી.
પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. રોમનોને પત્ર 5: 8
અને થોડા સમય અગાઉ:
ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.” યોહાન 14:6
દુઃખ
ભિન્નતા
પાપ કર્યાની લાગણી
અનિશ્ચિતતા
હેતુનો અભાવ
ઉથલપાથલ અને ચિંતાઓ
આનંદ
સંગત અને સંબંધ
માફી
અનંત જીવન
ભરપૂર જીવન
શાંતિ
_namePerson_, હવે તમે જોઈ શકો છો કે, દરેક જણ આ જગતમાં પાપને કારણે ઈશ્વરથી અલગ પડી ગએલ વ્યક્તિ તરીકે જન્મ્યા છે. _namePerson_, તમે અને બીજા દરેક જણ, દોષિત ઠરેલા છો અને અનંતકાળ સુધી ચાલનાર ન્યાયશાસન હેઠળ છો. ઈશ્વર તમારા માટે કે બીજા કોઈ મતે આવું બને તેમ ઈચ્છતા નથી. ઈશ્વર તમારા પ્રત્યે ધીરજ રાખે છે, તમારો કે બીજા કોઈનો નાશ થાય એવું તે ઈચ્છતા નથી, પણ દરેક જણ પસ્તાવા સાથે આવે અને અનંતજીવન પ્રાપ્ત કરે. જો તમે કંઈ નહીં કરો તો તમે અલગ જ રહેશો. ઈશ્વર અત્યારે જ તમને સ્પર્શ કરે છે કે તમે હમણાં જ જીવન પસંદ કરો. તેઓ તમને તક આપે છે કે તમે તેમના બાળક બનો અને તેઓ તમારા પિતા બને. ધાર્મિક ઉજવણી જેવી કે, બાપ્તિસ્મા કે દ્રઢીકરણ અથવા ધાર્મિક વિધિઓ તેમજ સારાં કાર્યો કરવાથી તમે ઈશ્વર સાથે સમાધાન પામતા નથી કે પાપની માફી પામેલા બની શકતા નથી. ઈસુને પસંદ કરવા એટલે કે ઈશ્વરને પસંદ કરવા તે વિશ્વાસ છે , અને ઈશ્વરની કૃપાને કારણે આનાથી વધારે મહત્વની બીજી કોઈ પસંદગી નથી જે તમે કરો. તેઓ કોણ છે તે અને તેમના સંદેશ દ્વારા વિશ્વાસ કરવાથી તમે ઈશ્વરના બાળક બની શકો છો.
પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો. યોહાન 1:12
બાઈબલ કહે છે કે, તેમના સંદેશ પર વિશ્વાસ કરવાથી અને તેઓ જે છે અને તેમના જીવન દ્વારા તેમણે કાર્ય પૂર્ણ કર્યું છે-તેમના જીવન મરણ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરવાથી ઈશ્વરના બાળકો બની શકાય છે.
જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને ઈશ્વરે તેમને મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, એવો વિશ્વાસ તારા અંત:કરણમાં રાખીશ, તો તું તારણ પામીશ કારણ કે ન્યાયીપણાને અર્થે અંત:કરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. રોમનોને પત્ર 10 :9-10
જ્યારે તમે આ પ્રમાણે કરો છો ત્યારે તમે પાપની માફી પામો છો. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છો. એને વિશ્વાસ રાખવો કહેવામાં આવે છે. 'ઇસુ પર વિશ્વાસ રાખવો' તે આ છે. _namePerson_, તમારે આ વ્યક્તિગત રીતે કરવાનું છે, તેમના સંદેશનો અને આ સત્યનો સ્વીકાર કરવો તે ઈસુનો સ્વીકાર કરવો તે છે. ઈસુ હવે તમારા જીવનના પ્રભુ બન્યા છે.
પણ જેટલાંએ તેનો [ઈસુ] અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો. યોહાન 1:12
_namePerson_, શું તમે:
1. તમે સ્વીકારો છો કે તમે પાપી છો અને ઈશ્વરથી તમે અલગ થઈ ગયા છો?
2. તમે માનો છો કે ઈશ્વરની પાસે આવવા માટે તમારે ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ અને ભરોસો રાખવાની જરૂર છે?
3. ઈસુએ તમારા પાપની શિક્ષા તેમના ઉપર લઈ લીધી છે તેથી શું તમે તેમને તમને માફી આપવા જણાવશો?
4. શું તમે વિશ્વાસ કરો છો કે તે પ્રભુ છે અને મરણમાંથી તે સજીવન થયા છે?
_namePerson_, જો તમે આ પ્રશ્નોનો જવાબ 'હા' માં આપો છો તો તમે પ્રાર્થનામાં ઈશ્વરને કહો, કારણ કે તેઓ જાણે છે કે તમારા હૃદયમાં શું છે.
હવે, તમે ઈશ્વરનો આભાર માની શકો કે ઈસુના રક્ત અને બલિદાન દ્વારા, તમારાં પાપ ધોઈ નાખવામાં આવ્યા છે.
5. હવે ઈશ્વરને એવું કહેવાનો સમય છે કે તમારા જીવનના બાકી સમયમાં તમે તેમને અનુસરવા માગો છો કારણ કે બાઈબલ જણાવે છે કે તમે હવે "નવી ઉત્પત્તિ" છો. કરિંથીઓને બીજો પત્ર 5:16-17
જ્યારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો ત્યારે, તમે નીચે મુજબની બાબતો કહી શકો.
પ્રભુ ઈશ્વર મેં જોયું છે કે હું પાપી છું અને મને તમારી માફીની જરૂર છે. મને એ વાતનું ભાન થયું છે કે ઈસુ ખ્રિસ્ત મારે માટે મરણ પામ્યા, અને મૂએલામાંથી પાછા ઉઠયા છે. હું મારા જૂના જીવનથી પાછો ફરવા તૈયાર છું. હું પ્રાર્થના કરું છું કે ઈસુખ્રિસ્ત મારા હૃદયમાં અને મારા જીવનમાં આવે કે જેથી હું તમને મારા પિતા તરીકે મળી શકું અને તમને વધુ સારી રીતે જાણી શકું. તમારી મદદ વડે હું તમને મારા પ્રભુ તરીકે મારા જીવનમાં અનુસરવા અને તમને આધીન થવા ચાહું છું. આમેન.